જમમીયતે ઉલ્મા એ હિન્દ તારાપુર તાલુકા અને સમસ્ત મોરજ મુસ્લિમ સમાજ દ્વારા સરની કામગીરીને લઇ આવેદન પત્ર આપવામાં આવ્યું
જમમીયતે ઉલ્મા એ હિન્દ તારાપુર તાલુકા અને સમસ્ત મોરજ મુસ્લિમ સમાજ દ્વારા સરની કામગીરીને લઇ આવેદન પત્ર આપવામાં આવ્યું
તા-૦૨/૦૨/૨૦૨૬ સોમવારે જમિયત ઉલ્માએ હિન્દ તારાપુર તાલુકાના, શહેર અને મોરજ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારશ્રી ને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં એવી માંગણી કરવામાં આવી કે જે અત્યારે રાજ્યભરમાં ચાલી રહેલ વિવાદ એવું ફોર્મ ૭ ભરી ખોટી માહિતી આપી કેટલાક મૃત્યુ પામ્યા છે તેમ જણાવી એક વિશેષ સમાજ ને ટાર્ગેટ કરી મતાધિકાર થી વંચિત રાખવાના નાપાક કોશિશ કરવામાં આવી રહી છે.તેની તપાસ થવી જોઈએ અને જે તારાપુર તાલુકામાં ખોટા ફોર્મ ૭ ભરાયા છે એની વિગતો આપવી અને જેણે અરજી ઓ કરી છે તે અજાણ છે તેમ કહે છે તો તારાપુર તાલુકામાં સરની પ્રક્રિયા માં ફોર્મ -૭ માં અરજી માં ૧૩૦૦ નામ કમી કરવામાં આવ્યા છે આ પાછળ કોનો હાથ છે અને એક ચોક્કસ મુસ્લિમ વર્ગ ને ધ્યાન માં લઇ કામગીરી કરવામાં આવી છે અને શુ ષડયંત્ર રચ્યું છે અને આની પાછળ કોનો હાથ છે તે સી સી ટીવી કુટેજ આપવા માં આવે આ બાબતો પર મામલતદારશ્રી ન્યાય અને નિસ્વાર્થ તપાસ કરવા વિનંતી સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર