Uncategorized
લૌહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી શ્રી સરદાર સન્માન યાત્રા આજે મહેસાણા પધારી હતી.


📰 મહેસાણા ખાતે સરદાર સન્માન યાત્રાનો ભવ્ય સત્કાર 📰
લૌહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી શ્રી સરદાર સન્માન યાત્રા આજે મહેસાણા પધારી હતી.
અવસર પાર્ટી પ્લોટ, મોઢેરા રોડ ખાતે યાત્રાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા જિલ્લા ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ અવસરે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સરદારપ્રેમી ભાઈ-બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
પુષ્પવર્ષા દ્વારા યાત્રાનું સત્કાર કરવામાં આવ્યું અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અપાઈ. અહેવાલ હિતેશભાઈ મોદી મહેસાણા