દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં. પીપલોદ ગામના સરપંચ શ્રી બાબુભાઈ ફૂલા અને પંચાયતના કાર્યકર્તાઓ અને ગામના આગેવાનો તથા પીપલોદની તમામ સ્કૂલના બાળકો હાજર રહીને પટેલ ઉમેદભાઈએ ધ્વજ વંદન કર્યું.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
અનેકતા માં એકતા એ જ અમારી શાન છે.
એટલે જ મારો ભારત મહાન છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં. પીપલોદ ગામના સરપંચ શ્રી બાબુભાઈ ફૂલા અને પંચાયતના કાર્યકર્તાઓ અને ગામના આગેવાનો તથા પીપલોદની તમામ સ્કૂલના બાળકો હાજર રહીને પટેલ ઉમેદભાઈએ ધ્વજ વંદન કર્યું.
પંદરમી ઓગસ્ટ આપણો સ્વતંત્રય દિન સેકડો વષોની અનેક પ્રકારની ગુલામી થી મુક્ત થવાનો પવિત્ર તહેવાર… આ સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્યવીર અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ.
15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજો એ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહઉધોગો પડી ભાગ્યા હતા. પરિણામે આપણા દેશમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જોરજુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતને અંગ્રેજોની ગુલામી માંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી એમાં પ્રજાએ પણ પૂરો સાથ આપ્યો. ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ ચાકી, જેવા યુવાનો હસતા હસતા શહીદી વ્હોરી લીધી. એટલા માટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને આ દિવસને સ્વાતંત્રય દિન તરીકે ઉજવીએ છીએ.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.